अप्स्यउन्तरमृतमप्सु भेषजमपामुत प्रशस्तये। देवा भवत
वाजिन:॥1
અર્થાત્ જળમાં અમૃતોપમ ગુણ છે. જળમાં ઔષધીયગુણ છે. હે
દેવો એવા જળની પ્રશંસાથી આપ ઉત્સાહ મેળવો.
વેદમાં અસંખ્ય વિદ્યાઓનો સંગ્રહ છે, જે
ઋષિમુનિઓના તપસ્યા દ્વારા મેળવેલ અમૂલ્ય ભેટ છે. વેદમાં મુખ્યત્વે યજ્ઞવિજ્ઞાન,કૃષિવિજ્ઞાન,ઔષધિયવિજ્ઞાન,જળવિજ્ઞાન,
જ્યોતિષવિજ્ઞાનનો સંગ્રહ હોય તેમ જણાય છે. જેમાંથી મનુષ્યના જીવન સાથે જોડાયેલ
અમૃત સમાન જળવિજ્ઞાનની પ્રસ્તુતિ શોધપત્રમાં
વર્ણિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નિઘન્ટુમાં પાણીના સો(૧૦૦) નામો છે. તેમાં 'जन्म' શબ્દ છે. જે જન્મ લે છે તેનું નામ 'જન્મ' રાખી શકાય છે. આ વૈદિક નામ સ્પષ્ટ કરે છે
કે પાણીનો જન્મ થાય છે કે પાણી ઉત્પન્ન થાય છે. જન્મ લેવાનો અર્થ થાય છે કે જન્મે
છે. વિશ્વના તમામ પદાર્થોનો જન્મ થાય છે, તો પછી તે શોધવું જરૂરી છે કે વેદોએ પાણીનું નામ 'જન્મ' કેમ રાખ્યું ? અન્ય પદાર્થોના જન્મની તુલનામાં પાણીનો જન્મ
ચોક્કસપણે કેટલીક વિશેષતા હશે. પાણીનો જન્મ કંઈક અસાધારણ લાગે છે. આધુનિક વિજ્ઞાન-શાસ્ત્ર કહે છે કે પાણી બે પવનના જોડાણથી જન્મે છે. આધુનિક
વિજ્ઞાન મુજબ, પાણીનું 'જન્મ' નામ અર્થપૂર્ણ પણ હોઈ શકે છે.
मित्रावरुणौ
त्वा वृष्ट्याडत्रताम् ॥2
અર્થાત - મિત્ર અને વરુણ વરસાદ કરી તમારી રક્ષા કરે . આ મંત્રમાં એવું કહેવામાં
આવ્યું છે કે પાણી ઉત્પન્ન કરવાનું કામ મિત્ર અને વરુણનું છે. મિત્ર અને વરૂણ બંને દેવ જળ ઉત્પન કરે છે અને
વરસાદ વર્ષાવે છે. એટલે કે, પાણીનો જન્મ મિત્ર વરુણૌના સંબંધથી થાય છે, તેમાં પુરુષ કે સ્ત્રી સંબંધ નથી. બંને
પુરુષ છે અને બંને એક સાથે મળીને પાણી ઉત્પન્ન કરે છે. આ ભાવ અથર્વવેદની શ્રુતિમાં છે.
मित्रावरुणौ वृष्टयाधिपती तौ मावतां॥3
અર્થાત - મિત્ર અને વરૂણ વૃષ્ટિના
(અધિપતિ)શાસકો છે, તે બંને જ મારી
રક્ષા કરે છે. આ શ્રુતિમાં મિત્રવરુણૌ
સબંધ વૃષ્ટિ સાથે અર્થાત્ જળ સાથે કરવામાં આવ્યો છે. આ સંબંધ વિશે વિચારતા મૈત્રાવરુણની ગાથા ધ્યાનમાં લેવી જોઈએ.
વૈદિક અથવા સંસ્કૃત ભાષાના દરેક શબ્દ તેના
સ્વરૂપને ખૂબ સારી રીતે વ્યક્ત કરે છે. આ તે જ કારણ છે કે જેના આધારે વૈદિક ઉપદેશ ગુઢ
રીતે વ્યક્ત કરી શકાય છે..
मित्रं हुवे पूतदक्षं वरुणं च रिशादसं।
धियं धृताचीं साधन्ता॥8
આ મંત્ર વાયુસુક્તની
અંદર મિત્રવરૂણ દેવતાનો છે. આ મંત્રના ત્રણ વિભાગ છે. તેમનો અર્થ નીચે મુજબ છે –
(१) पूत - दक्षं मित्रं
हुवे।
-બળવાન મિત્રવાયુનો
હું સ્વીકાર કરું છું .
(२) रिशाङ्दसं च वरुणं हुवे। - જે દુનિયાને ઉત્તેજન આપે છે એવા હું વરૂણ વાયુને
પણ લઈશ
(३) धृताङची धियं साधन्ता।
- આ બંને જળ ઉત્પન્ન કરવાનું કાર્ય સિદ્ધ કરે છે.
આ મંત્રાર્થ સાથે ઉપરોક્ત કથાની તુલના કરીને, જળના જન્મનો વૃતાન્ત જાણી શકાય છે. હવે
આપણે ધ્યાનમાં લઈશું કે કોણ મિત્ર અને કોણ વરુણ હોઈ શકે છે.
ઓક્સિજનનો ( Oxygen gas )નો ધર્મ (Oxidize) જંગ(કાટ) કરવાનો છે. લોખંડ જેવી ધાતુઓ પરનો જંગ(કાટ
લાગવાની પ્રક્રિયા) આ હવાને કારણે થાય છે. મૂળ ધાતુના સ્વરૂપને વિકૃત કરવું એ તેનો
ધર્મ છે અને તે 'रिश-अदस' શબ્દ
દર્શાવે છે . આ સંકેત પરથી કહી શકાય કે
વરુણ હવાના ઓક્સિજનની નિશાની હશે. ‘વરુણ’ શબ્દનો અર્થ વરન અર્થાત પસંદગી અને પસંદ કરવા યોગ્ય છે. ઓક્સિજન વાયુ બધાં પ્રાણીઓ પોતાનાં જીવન માટે પસંદ કરે છે. પ્રાણીઓનું જીવન તેના
વિના અસ્તિત્વમાં ન રહે, તેથી તે પ્રાણવાયુ છે એમ કહી શકાય.
વરુણ વાયુના આ પ્રકારના જ્ઞાન હોવાથી, ‘मित्र’
વાયુનાં જ્ઞાન
તર્કથી પણ કરી શકાય છે. ઘણીવાર તે હાઇડ્રોજન
વાયુ હશે. ‘मित्र’ શબ્દ ‘मा
माने’ ધાતુ શબ્દમાંથી રચાયો છે. આ ગણતરી કે માપન
એવો અર્થ છે. તેથી ઈંગ્લીશ ભાષામાં ‘ Meter’ શબ્દ આ ‘मित्र’નું રૂપાંતર છે. ‘मा’ શબ્દ ‘मित्र’
શબ્દમાંથી રચાય છે
અને ‘मित्र’
શબ્દ ‘ Meter’ શબ્દમાંથી રચાય છે.9 આના વધુ શબ્દો જુઓ –
()
થર્મો-મીટર (Thermo-meter) = ધર્મ - મિત્ર = ઉષ્ણતા માપન યંત્ર
()
બાયો - મીટર (Bayo-meter) = ભાર - મિત્ર =
વજન માપવાનું ઉપકરણ
()
લાક્ટો - મીટર (Lacto-meter) = રસ
- મિત્ર = ગોરસ માપવાનું મશીન
()
જ્યો-મેટ્રી (Geo-metry) = ગો-મિત્ર = જમીન માપન વિદ્યા
આ શબ્દોના ઉપયોગથી ‘મિત્ર’ શબ્દનો Meter શબ્દનો સબંધ કેવી રીતે જોડાયેલો છે તેનું જ્ઞાન થઈ શકે છે. છંદ વાચક Meter
શબ્દ છે. અર્થાત મિત્ર શબ્દનો અર્થ માપન અને ગણતરી તે સાર્વત્રિક અર્થપૂર્ણ છે.માત્રા, મિત્ર, મીટર Meter વગેરે જેવા બધા શબ્દોમાં, ઉપરોક્ત ભાવ વર્ણિત છે.
તેથી જ ‘पूतदक्ष मित्र’ નો અર્થ અન્ય પદાર્થનું તોલ અથવા માપ બતાવવા વાળો
બળવાન વાયુ એવો થાય છે. હાઇડ્રોજનથી બધાનું માપ કે તોલ થાય છે. તેથી જળના ઘટકોમાં મિત્રવાયુ હાઇડ્રોજન સંભવિત રીતે હોય છે. ‘दक्ष’ શબ્દનો અર્થ To merease અર્થાત કદમાં (આકારમાં )વધારો થાય છે. આ ગુણ હાઇડ્રોજનને પણ સંબંધિત હોઈ શકે છે. ‘पूत’ શબ્દનો અર્થ (Pure) શુદ્ધ છે. શુદ્ધ હાઇડ્રોજન હવા કે જેનાથી
દરેકનું વજન થાય છે. તે(હાઇડ્રોજન ) બીજા પ્રાણવાયુ સાથે મળી
જળ ઉત્પન કરવાનું કાર્ય કરે છે. જે ઉરોક્ત મંત્રનો આસય છે.
‘હું પૂતદક્ષ –મિત્ર વાયુને લેઉં છું અને હું રીશદસ- વરુણને પણ લઉં છું.
તેઓ બંને મળીને જળ ઉત્પન્ન કરવાનું
કામ(કાર્ય) કરે છે.’ તે ઉપરોકત મંત્રનો શબ્દાર્થ છે. પાઠક જાણીશકે છે કે શબ્દોમાં કેટલો ગુઢ અર્થ ભરેલો છે.
આ બધાં વર્ણનથી જળનો ‘જન્મ’ નામ કેટલો અર્થપૂર્ણ છે,તેની સમજ આપી શકે છે. મિત્રાવરુણનો
જળ સાથે સબંધ અને પૂર્વોક્ત મૈત્રવારુણીય
ગાથાના ગુઢાર્થ અહીં સ્પષ્ટ થઈ શકે છે. વેદમંત્રના ગુઢ આવસ્યકતા વિશે બ્રાહ્મણો અને પુરાણોમાં મોટી મોટી કથાઓ બનાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ તે
કથાઓનો અર્થ સમજી શકતો નથી, જ્યાં સુધી તેમના સબંધો મંત્રો સાથે જ્ઞાત ન થાય. આનાથી વેદના
સ્વાધ્યાયનું કેટલું મહત્વ હશે તેનું પરિજ્ઞાન થઈ શકે છે.
વેદમાં આ મંત્રમાં જળની મહત્તા કેટલી હશે
તે દર્શાવે છે. જળ વગર જીવન શક્ય નથી, જીવનનું મુખ્ય તત્વ જ જળ છે. ઋષિમુનિઓ
દ્વારા વર્ણવિત કરવામાં આવ્યું છે. ‘‘જળ હશે તો બધુ હશે’’ જળથી
જ અન્ન ઉત્પન્ન થાય છે. જળ
અને અન્નથી પશુ-પક્ષી કે મનુષ્ય જીવિત રહી શકે છે. તેથી જ તેને અમૃત ગણવામાં આવ્યું છે.
विश्वे अमृतस्य पुत्रा...।2 કહીને આપણા સૌનું પણ મહત્વ વધારી દે છે. અથર્વવેદમાં જીવનયોગી પવિત્ર, કલ્યાણકારી, જળની કામનાઓ મંત્રોમાં ઉદ્દધૃત થાય છે.
शं नो
देवीरभिष्टा आपो भवन्तु पीतये।
शं
योरभि स्त्रवन्तु न:॥3
દૈવીગુણોથી યુક્ત– જળ આમારે માટે દરેક રીત કલ્યાણકારી અને પ્રસન્તાદાયક થાવ, તે આકાંક્ષાઓની પૂર્તિ કરીને આરોગ્ય
પ્રદાન કરે.
વૈદિક સમયમાં જળવ્યવસ્થાપન (જળ મેળવવાના) સ્થાનો જે દિવ્યતાયુક્ત પવિત્રજળ (સુલભ) પ્રાપ્તા થાય તેનો નિર્દેશ કરવામાં આવ્યો
છે.
या आपो दिव्या उत वा स्त्रवन्ति
खनिमित्रा उत वा या: स्वयञ्जा:।
समुद्रार्था या: शुचय: पावकास्ता आपो
देवीरिह मामवन्तु॥4
જે દિવ્યજળ આકાશમાંથી (વૃષ્ટિ દ્વારા) મળે છે. જે નદીઓમાં હંમેશા જનારૂ છે. કૂવા વગેરેમાંથી ખોદીને કાઢવામાં આવે છે
અને જે જાતે જ સ્ત્રોતો દ્વારા ઝમીને પ્રવાહિત થઇને, પવિત્રતા ફેલાવતાં સમુદ્ર તરફ જાય છે એ
દિવ્યતાયુક્ત પવિત્ર જળ અમારું રક્ષણ કરો.
અથર્વવેદમાં પણ ભૂગર્ભજળ વ્યવસ્થા
દર્શાવતા મંત્રો નિરૂપિત છે.
शं न आपो धन्वन्या३: शमु सन्त्वननूप्या:।
शं न:
खनित्रिमा आप: शमु या: कुम्भ आभ्रृता: शिवा न: सन्तु वार्षिकी:॥ 5 સૂકાપ્રાંત (રણ)નું જળ અમારા માટે કલ્યાકારી થાઓ; જળમય દેશનું જળ અમને સુખ આપો. જમીન
ખોદીને કાઢવામાં આવેલું કૂવા વગેરેનું જળ અમારા માટે સુખપ્રદ થાઓ. પાત્રમાં રહેલું જળ અમને શાંતિ આપનારું
થાઓ.
વૈદિક સમયમાં વરસાદના પાણીને પવિત્ર
ગણવામાં આવે છે.
તેનું જળ નદીઓ કૂવા તળાવરૂપે સંગ્રહિત થઇ અને સમુદ્ર તરફ પ્રવાહિત થાય છે. આ મંત્ર દ્વારા ઋષિમુનિઓ જળવ્યવસ્થાપનમાં નદીના જળનો તળાવ કૂવાના જળનો ઉપયોગ કરતા હોય તેમ જણાય છે. જેમાં કૂવાના જળ માટે ‘खनिमित्रा’ ખોદીને કાઢવામાં આવે છે. તે જળ સતત સ્ત્રોતરૂપે ઝમીને પ્રાપ્ત
થાય છે તેમ પણ કહ્યું છે. આમ એક સ્થાને
સંગ્રહિત પાણી કરતા ઝમીને ગતિશીલ જળ કૂવામાં હોવું જોઇએ, જે પવિત્ર અને દિવ્ય હોય છે એમ સિદ્ધ થાય
છે. ભૂમિમાં રહેલ ભૂગર્ભજળ નાની-નાની નાડીઓ (શીરા) દ્વારા સતત પ્રવાહિત રહે છે. જે નાડીનાં ચોક્કસ ભાગ પર ખોદકામ કરવામાં આવે તો જ સતત ગતિશીલ અને દિવ્યત્વયુક્ત
જળ પ્રાપ્ત થાય.
જેનું જળ પણ
સમુદ્રની દિશા તરફ જતી હોય એવો નિર્દેશ જોવા મળે છે.
કૂવા દ્વારા જળવ્યવસ્થાપનઃ વૈદિક સમયમાં કૂવાના નિર્માણ તથા તેના
દ્વારા અન્ય સાધનોથી બહાર લાવવાની પદ્ધિત/ક્રિયા આપણને જોવા મળે છે. જે નીચેના મંત્રો દ્વારા આપણે જોઇએ.
निराहावान्कृणोतन
सं वस्त्रा दधातन।
सिज्वामहा अवतमुद्रिणं वयं
सुषेकमनुपक्षितम्॥6
હે મિત્રો! ગાય વગેરે પશુઓને જળ પીવા માટે પર્યાપ્ત
સ્થળોનું નિર્માણ કરો. દોરડીઓને પરસ્પર
જોડો અમો શ્રેષ્ઠ જળસ્ત્રોતોથી યુક્ત ઉત્તમ પ્રકારે ખેતરોને સિંચવામાં અજસ સ્ત્રોતવાળા
કૂવામાંથી જળ લઇને સિંચાઇ કરીએ છીએ.
જળ કૂંડ(વાવ) દ્વારા જળવ્યવસ્થાપનઃ
शरस्य चिदार्चत्कस्यावतादा
नीचादुच्चा चक्रुथु: पातवे वा:।
शयवे चिन्नसत्या शचीभिर्जसुरये स्तर्य पिप्यथुर्गाम्॥7
વૈદિક સમયમાં પાણી પીવા માટે સર્જનાત્મક
ક્ષમતા અને સાધનો દ્વારા ચારેયબાજુ પથ્થરની ગોઠવણી કરીને કે જેમાંથી જળ જમીને એક
જગ્યાએ ભરેલું રહે તેવા કૂંડથી વ્યવસ્થાને જળ કૂંડ કહેતા હતા. જે મનુષ્ય તથા પશુઓ પણ તેના પાણીનો પીવા
માટે ઉપયોગ કરતા હતા.
વૈદિક આધુનિક વિજ્ઞાન-શાસ્ત્ર કહે છે કે પાણી બે પવનના જોડાણથી જન્મે છે. આધુનિક
વિજ્ઞાન મુજબ, પાણીનું 'જન્મ' નામ અર્થપૂર્ણ છે.પાણી ઉત્પન્ન કરવાનું કામ
મિત્ર અને વરુણનું છે અને વરસાદ વર્ષાવે છે. એટલે કે, પાણીનો જન્મ મિત્ર વરુણૌના સંબંધથી થાય છે . વૈદિક સમયમાં જળવ્યવસ્થાપન (જળ મેળવવાના) સ્થાનો જે દિવ્યતાયુક્ત પવિત્રજળ (સુલભ) પ્રાપ્ત થાય તેનો નિર્દેશ કરવામાં આવ્યો
છે.