" બનાસકાંઠાનું કસરા ગામ વાદી સમાજનું મિલન સ્થળ એક ઐતિહાસિક દ્રષ્ટિકોણ "


પ્રસ્તાવના :

પ્રાચીનકાળથી માનવી ૫રીભ્રમણ કરતા કરતા જીવન ગુજારતો હતો. શિકાર કરીને કે વનમાં ફળફૂલ વીણીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો. ત્યારબાદ કુદરતી સુવિધાવાળા સ્થાનોમાં રહેતો થયો. આમ કરતા કરતા આજના માનવ સમાજનું નિર્માણ થયું. તેમ છતાં ભારતમાં વિકાસની પક્રિયા એકસાથે કે સરખા પ્રમાણમાં અને સાર્વત્રિક નહોતી થઈ અને તેને કારણે અનેક જાતિઓ આજે ૫ણ પ્રારંભિક અવસ્થામાં જીવન વિતાવે છે. તેમાં વાદી સમાજ મોખરે છે. આ કોમ દસ-પંદરના જૂથમાં એક ગામ થી બીજે ગામ જઈ સીમાડાઓમાં પોતાના માલ સામાન સાથે પડાવ નાખી તથા તંબુ બાંધી રહેતી અને આજુબાજુના વિસ્તારમાં મનોરંજનનું કામ કરતી.

વાદી સમાજનો ઉદ્દભવ :

વાદી સમાજ આમ તો રખડતી પ્રજાતિ છે. તેઓ તાલીમ પામ્યા વગરના જાદુગરો કહેવાય છે. તેઓ મોઢામાંથી સાપ અને વીંછી કાઢે અને મોરલીના તાલે નાગને ૫ણ ડોલાવે છે. આ વાદીઓમાં અનેક જ્ઞાતિઓ છે. જેવી કે ફુલવાદી, લાલવાદી, ટોપલીયાવાદી, કરેડીયાવાદી વગેરે હતા. તેમાં  ફુલવાદી અને લાલવાદી મુખ્ય વાદીઓ કહેવાય છે. તે સિવાય ાદારી વાદીઓ ાના નામ પ્રમાણે ઓળખાય છે. આ વાદીઓના ઉદ્દભવ માટે અનેક દંતકથાઓ જોવા મળે છે. તેમના મૂળવંશ અંગેની માહિતી મળતી નથી. આ કોમનો આદીપુરુષ નવંતરી છે. તેના બે ચેલા લાલવાદી અને ફુલવાદી હતા અને તેમનો ૫રીવાર તે લાલવાદી અને ફુલવાદી છે એવું દંતકથાઓ પ્રતિપાદિત કરે છે. બીજી એક માન્યતા એવી થાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સ્વામ પાર્યા પછી જ્યારે કપાલી માર્ગ વૃદ્ઘિ પામ્યો તેની સાથે વામ માર્ગ ૫ણ બહુ  પ્રચિલત થયો. તેમાં દસનામી ગોસાઈએ તેમના દસ શિષ્યોમાંથી જોગી, નાથ અને કાન નામના ત્રણ શિષ્યોને જ્ઞાતિ બહાર મૂક્યા. તેથી તેમણે પોતાનું ભરણપોષણ કરવામાં બહુ મુશ્કેલી ૫ડવા લાગી અને તેઓ વનમા ગયા અને ત્યા જઈ શિવનું ત૫ કર્યું. શિવ તેમના તપથી પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું. વરદાર અનુસાર કાન ને સમાબારી વિદ્યા મળી. અને સમાબારી વિદ્યા દ્વારા એરૂ, સર્પ તથા નાગ પકડવા લાગ્યા અને તેના દ્વારા તેઓ નિર્વાહ ચલાવવા લાગ્યા. આમ વાદીઓની ઉત્પત્તિને આજે પાંચ એક હજાર વર્ષો વ્યતિત થયા.

વાદી સમાજનું મિલન સ્થાન :

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલું કસરા ગામ ફુલવાદીઓનું મિલન સ્થાન છે. કસરા ગામમાં દર વર્ષે મહામહિનાની આઠમ પહેલા આ સપેરાઓ (વાદીઓ) અહીં આવે છે. કસરા ગામની બહાર જાણે કેસૂડાં પૂરબહારમાં ખીલ્યાં હોય તેવાં પીળા અને લાલ વસ્ત્રોથી આખું વાતાવરણ અલગ દેખાય છે. અને ચારસો-પાંચસો કુટુંબો અહીં વગડામાં પોતાનો ૫ડાવ નાખે છે. દેશ આખામાં ફરીને આવેલા આ વાદીઓ વિખૂટા પડેલા તેમના જાતિભાઈઓને હરખથી ભેટી ૫ડે છે. પરણીને છૂટી ૫ડેલી છોકરીઓ માને ગળે વળગે છે. મૃત્યુ પામેલા સ્વજનોની જાણ થતાં શોકનો માતમ ૫ણ છવાઈ જાય છે.

વાદી સમાજના સામાજિક પ્રસંગો :

મહા મહિનો એટલે વાદીઓના લગ્નનો સમય. મહા મહિનાની ખોડિયારની આઠમે વાદી ભાઈઓ માતાજીને તલની સાની કરે. એક બે દિવસ સામ સામા રામ રામ કરે. વાદીઓ વર્ષમાં ત્રણ સ્થાને એકઠા થાય છે. ભટકતી જાતિ હોવાથી તેમનું સ્થાયી રહેઠાણ કયાય નથી. તેથી તેમના સામાજિક પ્રસંગો ઉજવવા અને સંબંીઓ અને સ્નેહીઓના કુળક્ષેત્ર જાણવા તેઓ લગ્નના હેતુ માટે મળે છે. ખોડિયારની આઠમ ૫છી તેઓ લગ્ન કઢાવે છે. સગાઈ થયેલ ગયેલ હોય તેવા વાદી છોકરા છોકરીના લગ્નનો દિવસ નક્કી થાય છે. લગ્નનો દિવસ નક્કી થતા લગ્નની તૈયારી કરવામાં આવે છે. વાદી કોમમાં લગ્નની રીતરસમ આમ તો સભ્ય સમાજ જેવી જ છે. પરંતુ એક રિવાજ થોડો અલગ છે. જે યુવાન કે યુવતીના લગ્ન લેવાનાં હોય તેને માટે ૫રિવારના તંબુ પાસે એક ઝુંપડી ઉભી કરવામાં આવે છે. આ ઝું૫ડી મોટે ભાગે આકડા અને સૂંગેતરાથી બનાવવામાં આવે છે. જ્યાં સુી લગ્ન ના થાય ત્યાં સુી યુવાન યુવતી ઝું૫ડીમાં જ રહે છે. નક્કી કરેલા દિવસે તંબુની પાસે ચોરી ચીતરાવવામાં આવે છે. સાંજ ૫ડે એટલે વાદી કોમના ૫ટેલ અને થોડા વડીલ વાદીઓ જાન લઈને છોકરીવાળા વાદીના તંબૂ એ જાય છે. આમ ઢોલ-લગ્નગીત અને નાચગાન સાથે ામૂમથી લગ્ન પૂરા થાય છે. અને બીજા દિવસે વિદાય હોય છે. આમ કસારા ગામ વાદીઓનું સામૂહિક લગ્નનું એક વિશિષ્ટ સ્થાન છે.

કસરા સિવાય બનાસકાંઠાના ડીસા અને રાનપુર તાલુકાના અણીયાળાં ગામમાં ૫ણ વાદીઓ મળે છે. તેઓ શ્રાવણ મહિનામાં મળે છે. ત્યાં મરી ગયેલાં વાદીઓની સ્વજનો દ્વારા કાણ મંડાય છે. તેમજ સંબંીઓના સમાચાર મળે છે. અને નવા સંબંો બંાય છે તેમજ સામાજિક પ્રસંગો ઉજવાય છે. આમ બનાસકાંઠાએ વાદીઓના મિલનનું એક યાત્રાામ છે.

વાદીઓના ગામની ભૌગોલિક રચના :

વાદી સમાજનું પ્રારંભિક જીવન સતત ભટકતું જીવન હતું. ૫રંતુ છેલ્લા પંદર એક વર્ષથી તેઓ સ્થાયી જીવન જીવવા લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરા થી પાંચ કિલોમીટર કાકોર ગામથી ત્રણ કિ.મી. દૂર ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં એક ફુલવાદી જૂથ વસવાટ કરવા લાગ્ચું અને સરકારે ૫ણ વિચરતી-વિમુક્ત જાતિઓ માટે બાંકામની સહાયથી નવી વસાહતો ઉભી કરી છે. તેને વાદી વસાહત તરીકે ૫ણ ઓળખવામાં આવે છે.

વાદીઓ ભટકતું જીવન ગાળીને સ્થાયી થવા જે જગ્યા ઉ૫ર સ્થાયી વસવાટ કરતાં થયાં ત્યાં વિજળીની સગવડ ન હતી. એટલે તેઓ કેરોસીન, તેલ, મીણબત્તીનાં પ્રકાશનો ઉપયોગ કરતા હતા. ભટકતું જીવન ગાળતાં ત્યારે તેઓ જે વિસ્તારમાં વસવાટ કરતાં ત્યાં આજુબાજુના કુવા અથવા તળાવનાં પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હતા. સ્થાયી થયા બાદ શરૂઆતમાં ગામના કૂવાના પાણીનો પીવા માટે ઉપયોગ કરતા. ખોરાક માટે સર્પનાં ખેલ દ્વારા સામુહિક રીતે લોકોને એકત્રિત કરીને ખોરાક કે અનાજ પ્રાપ્ત કરતા. આજે ૫ણ આ ફુલવાદીઓ સ્થાનિક કે સ્થળાંતરિત જગ્યાએ મજુરી ન મળે તો છૂપાઈને ખાનગીમાં સર્પ ખેલ કરે છે. કેટલાક વાદી સમાજના સ્ત્રી-પુરુષો સર્પનો ખેલ કર્યા સિવાય ૫ણ ભીખ માંગવા જતા હોય છે. ખેતમજૂરી કે રોજગારી ન મળે તો  તેઓ તેવા સમયમાં તેઓ માંગીને પોતાનું ભરણપોષણ કરે છે તો કેટલાક વાદીઓ ભીખ માંગવામાં સંકોચ ૫ણ અનુભવે છે તો કેટલાક વાદી સમાજના લોકો રાજકારણમાં ૫ણ ભાગ લેતા થયા છે.

ઉપસંહાર :

સમગ્ર ગુજરાતમાં આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પાંચ ગામમાં આ વાદીઓ વસવાટ કરે છે. શરૂઆતનું તેમનું જીવન ભટકતું જીવન હતું. ભટકતા જીવનમાં ૫ણ તેમના સામાજિક રીતરસમો ઉજવવા માટે તેઓ મહા મહિનામાં કોઈ એક સ્થળે ભેગા થતા જેવા કે બનાસકાંઠામાં આવેલું કસરા ગામ વાદીઓનું મિલનનું ામ હતું. ત્યાં તેઓ પોતાના સગા સંબંીઓને મળતા, ભેટતા. સમય જતા સરકાર દ્વારા પશુ-પક્ષીઓને યાતના ન આપતા કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા. તેથી તેમને તેમનો મૂળ વ્યવસાય (સાપ પકડી મદારીનો ખેલ કાઢવો) છોડી એક સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. જેમાં સરકાર દ્વારા ૫ણ કેટલીક સહાયતા કરવામાં આવેલી.



References / સંદર્ભ

(૧) દેસાઈ નીરા, ‘‘ગુજરાતમાં ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન’’, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ગુજરાત, ૧૯૯૧ (૨) ડો.ભારતી એમ.૫ટેલ, ‘‘ગુજરાતના વાદીઓમાં સામાજિક પરિવર્તન’’, શ્રી એસ.બી.૫ટેલ અને શ્રી આર.એન.અમીન, આણંદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૬ (૩) આચાર્ય કનુભાઈ, ‘‘બનાસદર્શન’’ રખેવાળ કાર્યાલય, ડીસા, ૨૦૦૨ (૪) આચાર્ય કનુભાઈ, ‘‘બનાસની અસ્મિતાનો ઉન્મેષ’’, નવભારત પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૮ (૫) આચાર્ય અરવિંદભાઈ, ‘‘સરનામા વગરના માનવી’’, વિચરતા સમુદાય સમર્થન મંચ, જન૫થ, અમદાવાદ

Author Name and Details /લેખકનું નામ અને વિગત

ડો.મલ્લિકાબેન જી. પટેલ ઈતિહાસ વિભાગ આસિસ્ટન્ટ પ્રોફેસર, સી.એન્ડ એસ.એચ.દેસાઈ એન્ડ એલ.કે. એલ. દોશી કોમર્સ કોલેજ, બાલાસિનોર